
આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તા. 28/12/2021 ના રોજ સતવારા સમાજની વાડી, વજેપર મેઈન રોડ, મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તથા સાથે યોગ શિબિર નું પણ આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં લાભાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે:
આયુર્વેદ ચિકિત્સા લાભાર્થીઓ- 226,
હોમિયોપથી ચિકિત્સાના લાભાર્થીઓ- 70,
યોગ શિબિર લાભાર્થીઓ – 105,
અગ્નિકર્મ સારવાર લાભાર્થીઓ- 15,
સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન લાભાર્થીઓ- 300.
*_કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર:_*
(1) *વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર,* (મે.ઓ. આયુર્વેદ)
(2) *વૈદ્ય અલ્તાફભાઈ શેરસિયા,* (મે.ઓ. આયુર્વેદ)
(3) *વૈદ્ય શ્રીબા જાડેજા,* (મે.ઓ. આયુર્વેદ)
(4) *ડૉ. વિજયભાઈ નાંદરિયા,* (મે.ઓ. હોમિયોપથી – કોયલી)
(5) *ડો. જે.પી. ઠાકર.*
(મે. ઓ.હોમિયોપથી ટંકારા)
(6). *ડો. એન. સી. સોલંકી.*
( મે. ઓ. હોમીઓપેથી – નવા ઘનશ્યામગઢ)
*_કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ:_*
# *આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્ય)*
# *હોમિયોપથિક નિદાન, સારવાર ( વિનામૂલ્યે)*
# *યોગ પ્રશિક્ષણ (વિનામૂલ્યે)*
# *આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન*
# *સ્નાયુ ,સાંધાના દુઃખાવા, સાઇટિકા, એડીનો દુઃખાવો, ખભાનો દુઃખાવો તથા કપાસી જેવા રોગો માટે અગ્નિકર્મ સારવાર.*
# *આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ*
# *હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ,*
# *બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન,*
# *હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર,*
# *”ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન.*
*આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવેલ*
