શરદ એમ.રાવલ… હડિયાણા…
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, આ કેસના આરોપીઓ (૧) કરમણભાઈ પરસોત્તમભાઈ ભીમાણી (૨) દામજીભાઈ પરસોત્તમભાઈ ભીમાણી (૩) હરિભાઈ પરસોત્તમભાઈ ભીમાણી (૪) ભીમજીભાઈ પરસોત્તમભાઈ ભીમાણી (૫) બચુભાઈ પરસોત્તમભાઈ ભીમાણી (૬) ડાયાભાઈ બચુભાઈ ભીમાણી (૭) રમેશભાઈ બચુભાઈ ભીમાણી (૮) ભરતભાઈ દામજીભાઈ ભીમાણી (૯) મનોજભાઈ કરમણભાઈ ભીમાણી (૧૦) સંજયભાઈ હરિભાઈ ભીમાણી તમામ રે. કેશીયાગામ, તા. જોડિયા જી.જામનગર વાળાઓ એ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ધોકા,કુહાડી,તલવાર, ગુપ્તિ જેવા ઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીને માર મારી શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ કરેલી જે અંગે ફરિયાદીએ ફરિયાદ કરતા જોડિયા પોલીસે તપાસ કરી નામદાર જોડિયા કોર્ટમાં ચાર્જશીટ કરેલુ જે ફોજદારી કેસ નં ૨૬૨/૨૦૦૧ થી જોડિયા કોર્ટમાં ચાલી જતા નામદાર જોડિયા કોર્ટે જ્યૂ. મેજી. શુદેશ ગીલ સાહેબ નિ કોર્ટમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદી જેન્તીલાલ હરજીવદાસ પટેલ. ગામ.કેસિયા. તા.જોડિયા. જી.જામનગર પક્ષનો કેસ સાબિત માની ઈ.પો.કો કલમ ૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩ મુજબ અલગ અલગ સજા તથા દંડ ની સજા ફરમાવેલ છે તથા ઈ.પો.કો.કલમ ૩૨૫ માં તકસીરવાર ઠેરવી તમામ આરોપીઓ ને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા પ્રત્યેક આરોપીઓ ને કુલ રૂ. ૯૫૦૦ દંડની સજા કરવામાં આવેલ છે
આ કેસમાં સરકાર તરફે એ.પી.પી.શ્રી અશોક એસ.પરમાર રોકાયેલ હતા……
