પ્રતિ, તા. ૦૪/૦૧/૨૦૨૨
કલેકટર શ્રી,
મોરબી જીલ્લા,
મોરબી.
વિષય – ફાયર બ્રિગેડ માટેના સૂચનો આપવા બાબત.
મહેરબાન સાહેબ શ્રી
જયભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે આપના દ્વારા ફાયર બ્રિગેડ વ્યવસ્થા માટેના સૂચનો મગાવેલ છે. તો મારા તરફથી નીચે મુજબ સૂચનો છે. જો યોગ્ય લાગે તો અમલ કરવા બાબતે યોગ્ય નિર્ણય કરવા વિનતી.
(૧) શહેર ના જુદા જુદા વિસ્તારમાં ફાયર સ્ટેશનો કરવા.જે હાલ માં નથી.
(૨) શહેર માં જે ઉચા માં ઉચું બિલ્ડીંગ હોય તેને પહોચી વળે તેવા સાધનો વસાવવા.
(૩) નવા થતા બાંધકામ માં ફાયર પ્રોટેક્શન ના સાધનો વસાવવા ફરજીયાત કરવા.
(૪) નવા મંજુરી ઓ આપતા પહેલા જેટલા સાધનો સરકાર કે નગર પાલિકા પાસે હોય તેની કેપેસિટી ને ધ્યાને રાખીને મંજુરીઓ આપવી.
(૫) ગેર કાયદેસર થતા બાંધકામો કે મંજુરી વગર ના બાંધકામો થતા અટકાવવા.
(૬) સ્કૂલો માં ખાસ કરીને ફાયર સેફટી માટે ના સાધનો ફરજીયાત કરવા.
(૭) જાહેર બિલ્ડીંગો માં પણ ફાયર સેફટી માટેના સાધનો મુકાવવા.
(૮) ટ્રેઈન્ડન સ્ટાફ ની ફાયર બ્રિગેડમાં ભરતી ઓ કરવી,
(૯) સમયાન્તરે ટીમ દ્વારા ફાયર સેફટી ની સાધનો ની ચકાસણી કરતી રહેવી.
(૧૦) જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય તેમ સાધનો અપડેટ કરતા રહેવું.
ઉપરોક્ત અમારા સૂચનો ધ્યાને લેવા વિનતી.
(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
