*રીપોટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય આવેલી હોય છે આ શાળાની અંદર ભારત સરકાર દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને આ પ્રકારની ભારતમાં લગભગ ૭૦૦ જેટલી નવોદય વિદ્યાલય કાર્યરત છે
નવોદય વિદ્યાલય એ સંપૂર્ણપણે રેસીડેન્સીયલ સ્કુલ છે જેમાં બાળકોને ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ ભોજન અને નિવાસની વ્યવસ્થા કરવામાં આવે છે
આ શાળામાં પ્રવેશ માટે ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ પરીક્ષા લઇને પસંદગી પામે છે હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો બાળકોનો ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા નો નવોદય વિદ્યાલય માં બાળકોના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બધા જ બાળકોએ આપણા લોકલાડીલા વડાપ્રધાન પાસેથી પરીક્ષાને એક ઉત્સવ તરીકે મનાવવો જોઈએ એ પ્રકારનું માર્ગદર્શન મેળવ્યું આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી એસ. વી. પાટીલ ને નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી તેમના માર્ગદર્શન નીચે શાળાના સમગ્ર સ્ટાફ ગણ શ્રીમાન વિક્રમ તેલંગ, નીરજ જાની ,જીગ્નેશ ગોંડલીયા ,રૂપેશ ચૌહાણ ,રઝિયા સુલતાના , ચીમનલાલ દેસાઇ તથા અન્ય સમગ્ર સ્ટાફ ગણ એ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમ વધારે ને વધારે લોકો સુધી પહોંચે વધારે ને વધારે બાળકો સુધી પહોંચે તે માટે બધા જ શાળાઓમાં પ્રચાર પ્રસારનો કાર્ય ઉત્સાહપૂર્વક ક્રાયૅકમ કરવામાં આવ્યું છે
