ભારત સરકારશ્રીની સુચના અનુસાર ” સ્વચ્છતા દરેકનો વ્યવસાય” સુત્ર ને સાકાર કરવા માટે તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા પખવાડિયુ ૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૧૫/૦૪/૨૦૨૨ દરમ્યાન ઉજવણી કરવાની સુચના આપવામા આવેલ છે.
આ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ ખાતે પણ ઉપરોક્ત સુચના અનુસાર વિવિધ આરોગ્ય ને લગતા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ છે આ આયોજન અંતર્ગત આજ રોજ
તા.૦૨/૦૪/૨૦રર ના રોજ મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા તેમજ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી ડો.નિરાલી ભાટિયા ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર સરવડ ના વિસ્તાર ના વી.એચ.એન.સી. કમિટીના સભ્યો દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત વિષય પર રેલી,પોસ્ટર,રંગોળી વોલ પેઇન્ટીંગ વગેરે પ્રવૃતિઓ દ્વારા લોકોમા સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામા આવેલ.
