
મોરબી : મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આવતીકાલે રામકથાનો પ્રારંભ થશે.તેમજ બેલા ગામથી પોથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પોથીયાત્રામાં જીલ્લા પંચાયત મોરબીના બાંધકામ સમિતિના ચેરમેન પોથી ઉપાડશે. તેમજ શોભાયાત્રા 3 હાથી, 51 ઘોડા, 8 બગી સાથે ખોખરાધામ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે અને મહારાષ્ટ્રથી ઢોલનગારાવાળા આવશે. મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આવતીકાલે તા.8ને શુક્રવારના રોજ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા કંકેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરૂ થનાર છે.જેમાં બેલા ગામથી સવારે 8 કલાકે શોભાયાત્રા ખોખરા હનુમાનજી સુધી યોજાશે.આ પોથીની શોભાયાત્રા 3 હાથી,51 ઘોડા,8 બગી,અને મહારાષ્ટ્રથી ઢોલ નગારાના ગાજ સાથે નીકળશે. જેમાં માતાજી કંકેશ્વરી,ભારત સાધુ સંતોના અધ્યક્ષ મુકતાનંદ બાપુ તેમજ શેરનાથ બાપુ (જૂનાગઢ તળેટી) આ પોથીયાત્રામાં હાજર રહી શોભાયાત્રાની શોભા વધારશે. શોભાયાત્રાનો ભક્તોએ લાભ લેવા માતાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો
