

કોરોના મહામારી ના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત શ્રી લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧,વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે
સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી રાખેલ.આ આરતી માં મોરબી ના
માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી અને મોરબી ના
Dy DDO ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ પ્રસંગે મંડળ ના પૂર્વ પ્રમુખ ને જ્ઞાતિજનો એ
બે મિનિટ નું મૌનપાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.તેમજ ૧૧:૩૦ કલાકે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો એ સમૂહ પ્રસાદ લીધેલ. જે પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ એમ રાઠોડ ની યાદી માં જણાવ્યું છે.
