
જય જલારામ સાથ જણાવવાનુ કે આગામી તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ વાંકાનેર મુકામે હિન્દુ હ્રદય સમ્રાટ લોહાણા અગ્રણી શ્રી જીતુભાઈ સોમાણી ના સમર્થન મા યોજાનાર મહાસંમેલન ને અનુલક્ષીને, ઉપરાંત તા.૩-૭-૨૦૨૨ રવિવાર ના રોજ RKM (રઘુવંશી ક્રાંતિ મંચ) દ્વારા મોરબી મુકામે યોજાનાર કાર-બાઈક રેલી તથા સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલન ના આયોજન ના અનુસંધાન મા સમસ્ત લોહાણા સમાજ ની મીટીંગ નુ આયોજન આજ રોજ તા.૨૪-૬-૨૦૨૨ શુક્રવાર ના રોજ રાત્રે ૯ઃ૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કરેલ છે. જેમા દરેક કમીટી મેમ્બર્સ ઉપરાંત સમસ્ત લોહાણા સમાજ ના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ભાઈઓ તથા બહેનોએ સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી.
*જય જલારામ*
*જય રઘુવંશ*
*જય વીર દાદા જશરાજ*
