*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકા ના જંત્રાખડી ગામે થોડા દિવસ પહેલા 8 વર્ષ ની બાળા સાથે ગામના જ યુવાન શામજી સોલંકી એ દુષ્કર્મ આચરી બાળા ને મોત ને ઘાટ ઉતારી લાશ ને ફેંકી દીધી હતી.બીજી તરફ આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ મા ચલાવવા અને આરોપી ને તાત્કાલિક ધોરણે ફાંસી ની સજા મળે તે માંગણી વિડિયો દ્વારા મુસ્લીમ સમાજ ના અગ્રણી ઓ દ્વારા પણ જુંબેશ ચલાવામાં આવી હતી કોડીનાર તાલુકા ભરના તમામ સમાજ દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યા હતાસમગ્ર ગુજરાત મા ચકચાર મચાવનાર જંત્રાખડી દુષ્કર્મ ના આરોપી ને રાજ્યભર માંથી ફાંસી સજા ની માંગ થઈ રહી છે. તો બીજી તરફ વિશ્વ વિખ્યાત રુદ્રેસવર જાગીર ભારતી આશ્રમ માં મહંત અને આંતરાષ્ટ્રિય ઉપાધ્યક્ષ દશનામ સાધુ જુના અખાડા ઈન્દ્રભારતી બાપુ અને સાથે ગુજરાત સરકાર ના મંત્રી અરવિંદ ભાઈ રૈયાણી તથા જુનાગઢ જિલ્લામાં ના સાંસદ રાજેશ ચુડાસમાં સહિત ના આગેવાનો એ આજે જંત્રાખડી ગામે જઈ પીડિત પરિવાર ની મુલાકાત લીધી હતી. અને પરિવાર ને સાંત્વના પાઠવી
