



*રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો, આઝાદી ચળવળના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્ર વિધાનસભા ભવનમાં રાખવામાં આવેલા છે*.
*આ મહાનુભાવોને તેમની જન્મતિથી એ ભાવાંજલિ અર્પણ કરવાની પરંપરા રૂપે આજે મુખ્યમંત્રીશ્રીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ કરી હતી*
*મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી,શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા , રાજ્યમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીન્ડોર, ધારાસભ્યો પ્રદિપસિંહ જાડેજા, શંભુજી ઠાકોર ,મેયરશ્રી હિતેશ મકવાણા,મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ આ વેળાએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં જોડાયા હતા*
