*લલિત નિમાવત દ્વારા*

આજ રોજ રાણેકપર શાળામાં કલાઉત્સવ અંતર્ગત* આઝાદી કા અમૃત મહોત્સવ* થીમ આધારિત ધોરણ 6 થી 8 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન અને સંગીત સ્પર્ધાનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓમાં ચિત્રકલા અને સાહિત્ય કૌશલ્ય વધે અને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન થયું.જે જેમાં બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો.કાર્યક્રમના અંતે શાળાના કર્મનિષ્ઠ શિક્ષક રણજીતભાઈ લાલજીભાઈ કટેશીયા દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું.
