રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા…


હડિયાણા ગામે મેઈન બાઝાર ચોકમાં ભાદરવા સુદ ચોથના સૌ પ્રથમ 2012 ના વર્ષ થી શુભશરૂઆત કરવા માં આવેલ. અને ત્યારબાદ સતત છેલ્લા દશ વર્ષ થી ગણપતિ બાપા ની પધરાણી કરવામાંગ આવે છે. અને દશ દિવસ સુધી દરરોજ સવારે એક સાંજે બાપા ની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ગણપતિ દાદાને ચલણી રૂપિયા 20 ની એક હજાર ના બડલ નો હાર શણગાર કરવા માં આવ્યો છે. રોજ રાત્રે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમાં આજે રાત્રે સત્યનારાયણ ની કથા મહા આરતી અને સર્વે ભક્તજનોને કથા ની પ્રસાદી આપવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં કાર્યકરો અને ભક્ત જનોએ ગણપતિબાપા ની સેવા પૂજા કરી ને ધન્યતા અનુભવે છે. અને ગઈકાલે 56 ભોગ નો અન્નકૂટ દર્શન કર્યા હતા. અને ભાદરવા સુદ ચૌદસના છેલ્લા દિવસે ગણપતિબાપા ની વિદાય પ્રસંગે ધાધુમથી વાજતેગાજતે બાલાચડી દરિયામાં વિસર્જન કરવા માટે પણ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉમટી પડે છે.અને બાપા ને વિદાય આપી ને ધન્યતા અનુભવે છે…………….



