કે ડી પડસુંબિયા

મોરબી કેનાલ રોડ પર અવની ચોકડી પર પાણી નો કોઈ નિકાલ નથી. મોરબી નગરપાલિકા, તંત્ર અને ચુંટાયેલા સભ્યોની મીલીભગત ને કારણે પ્રજા પીસાઈ રહી છે. નગર પાલિકા માં એક તરફી બીજેપી ને વોટ આપ્યા પછી પણ પ્રજાને આ મુશ્કેલી રૂપી ભેટ. પૂરા મોરબી માં ખાડા નહિ પણ ખાડા અને પાણી માં મોરબી. નીંભર તંત્ર અને નીંભર ચૂંટાયેલ સભ્યો ના ભ્રષ્ટાચાર ને કારણે મોરબી શહેર નર્ક સમાન બની ગયું છે. વરસાદ બંધ પડ્યા પછી પંદર કલાક બાદ પણ ઢીચણ સમા પાણી નું વહેણ ચાલુ છે.

