
સમાજ કાર્ય,સેવા કાર્ય તેમજ સ્વાધ્યાય કાર્ય માટે સમર્પિત જીવન જીવનાર ડીસા રઘુવંશી દેશી લોહાણા મહાજનના સ્થાપક પ્રમુખ રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકરનું અમદાવાદ ખાતે ટૂંકી બિમારી બાદ દુખદ નિધન થતાં તેમના પરિવાર ઉપરાંત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં ઉંડા આઘાતની લાગણી પ્રસરી છે.
તેમના નેતૃત્વમાં ડીસા ખાતે લોહાણા મહાજન વાડી બનાવવાનો શુભારંભ થયો હતો.તેઓ ખૂબ જ ઉત્સાહી,જાગૃત,કર્મઠ,મિલનસાર તેમજ અજાતશત્રુ સમાન હતા.તેમના સરળ તેમજ નિર્મળ વ્યકિતત્વને લીધે તેઓ ખૂબ સારૂ મિત્રવર્તુળ તેમજ ચાહકવર્તુળ ધરાવતા હતા.અમદાવાદ ખાતે તેમની સ્મશાનયાત્રામાં અનેકજનો જોડાયા હતા.
વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,ઉપપ્રમુખો ધર્મેશભાઈ હરિયાણી,જીતુભાઈ નાશિક,જીતુભાઈ લાલ,મંત્રીઓ હરિશભાઈ ઠકકર,ડો.સુરેશભાઈ પોપટ,ખજાનચીઓ વસંતભાઈ અનારકટ,યોગેશભાઈ ઠકકર તેમજ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ તેમના પરિવારને શોક સંદેશો પાઠવી આશ્ર્વાસન આપ્યું હતું.
રમેશભાઈ અખાણી પરિવારના અરવિંદભાઈ અખાણી,વિજયભાઈ અખાણી,આનંદભાઈ અખાણી સહિત સૌએ દુખની આ વસમી વેળાએ સહકાર આપનાર સૌ કોઈ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
