

ગુજરાત વિધાનસભા ની ચુંટણી ના પ્રથમ તબક્કા ના મતદાન ના ગણતરી નાં દીવસો બાકી રહ્યા છે ત્યારે દરરોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે મોરબી ના નવલખી રોડ સ્થિત જલારામ પાર્ક ના રહીશો દ્વારા વિવિધ પ્રશ્ને ચુંટણી ના બહીષ્કાર ના બેનરો મારવા માં આવ્યા હતા. આજરોજ ભા.જ.પ. અગ્રણી દીપકભાઈ પોપટ, ભાવીનભાઈ ઘેલાણી તથા પ્રજ્ઞેશભાઈ વાઘેલા દ્વારા સોસાયટી ના રહીશો સાથે બેઠક યોજવા માં આવી હતી. જે બેઠક માં બહોળી સંખ્યા માં સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટી ના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત ભા.જ.પ. અગ્રણી સમક્ષ તેમના વિવિધ પ્રશ્નો ની રજુઆત કરી હતી. તે દરેક પ્રશ્નો નો સંતોષકારક જવાબ આપવા માં આવ્યો હતો તેમજ ટુંક સમય માં દરેક પ્રશ્નો ના ઉકેલ ની ખાતરી આપવા માં આવતા મામલો થાળે પડ્યો હતો. સોસાયટી ના રહીશો દ્વારા ચુંટણી ના બહીષ્કાર ના બેનર ઉતારી ભા.જ.પ. ના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ હતુ.

-અહેવાલ
નિર્મિત કક્કડ
