*શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા* *સરદાર ક્વીઝ*……………….
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ચરિત્ર અંગેના પ્રશ્નોની સ્પ tcર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. આ દરમિયાન સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા ટીમને ઉમીયાજી બીએડ કોલેજ ધ્રોલ ના પ્રિન્સિપાલ શ્રી ભગવાનજીભાઈ કાનાણી (મોટીવેશનલ સ્પીકર) દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સંસ્થાના આચાર્ય અતુલભાઇ ભીમાણી નરેશભાઈ કાસુન્દ્રા સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા વિજેતા ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા નું સંપૂર્ણ આયોજન સંસ્થાના સ્ટાફ કંચનબેન ભેંસદડીયા અને સમગ્ર મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં નિલેશભાઈ ચનીયારા દ્વારા ભગવાનજીભાઈ કાનાણી નો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો…………………….
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા……………….




