
ખેતી અને ઉધોગ પર ભાર મુકાય તો આર્થિક વિકાસ વધે
અંદાજપત્ર આપણે ત્યાં વર્ષોથી જાહેર થતાં આવ્યાં છે પણ આજના સમયે તેની ઉપયોગીતા અને મહત્ત્વ ઓછા નથી થયાં. અંદાજપત્રને મહત્ત્વની આર્થિક ઘટના તરીકે જોવામાં આવે છે. મારી દૃષ્ટિએ ઉદ્યોગોનો વિકાસ થાય એવી ચોક્કસ નીતિ ઘડાવી જોઈએ. સબસિડી વિના જ આ કામગીરી થવી જોઈએ. એ ઉપરાંત નિકાસ માટે પણ સર્વાંગ સંપૂર્ણ યોજનાની આવશ્યકતા છે
ઉદ્યોગ અને ખેતીનો વિકાસ થાય એવા પગલાં નવા અંદાજપત્રમાં લેવાય એવી આશા રાખું છું. સામાન્ય લોકોને લાભ થાય એ માટે રોજગારીનું વધુને વધુ સર્જન કરવામાં આવે અને ભાવવધારો અત્યારે ટોચ પર છે તેમાં નિયંત્રણ આવે એ પ્રકારે જાહેરાતો કરવી જોઈએ. સ૨કા૨ અંદાજપત્રમાં મોટી મોટી રકમની જાહેરાતો કરતી હોય છે પણ એ પ્રમાણે ફંડ પ્રાપ્ત થતું નથી. ફંડ મળે તો વપરાતું નથી કે જે વર્ગ સુધી પહોંચવું જોઈએ તે પહોંચી શક્યું નથી એટલે એની વ્યવસ્થા જરૂરી છે. ઉદ્યોગકારોને અને ખેડૂતોને મહત્તમ લાભ મળે એવી જાહેરાતો થાય તો આર્થિક વિકાસને ચોક્કસપણે ફાયદો મળી શકશે. માળખાકીય સુવિધાઓમાં ખર્ચ કરવાથી અર્થતંત્રને ફાયદો થશે તેવી ભ્રામક માન્યતામાંથી બહાર આવવું હવે જરૂરી થઈ ગયું છે. અંદાજપત્રમાં મફત આપવાનું ઓછું કરતું જવું જોઈએ.
