
મોરબી ભગવા ગ્રુપ ના સભ્ય ગોસ્વામી હિતેષગીરી નું દુઃખદ અવસાન ગુરુવારે બેસણું
ભગવા ગ્રુપ,મોરબી દશનામ ગોસ્વામી મંડળ ને યુવક મંડળ એ શોક વ્યક્ત કર્યો.
મોરબી ભગવા ગ્રુપ ના સભ્ય ગોસ્વામી હિતેષગીરી ઝવેરગીરી (ઉં વ ૪૮)તે સ્વ ઝવેરગીરી રેવાગીરી ના પુત્ર તથા અનિલગીરી ના નાના ભાઈ તેમજ આરદીપગીરી,હર્ષદગીરી, બ્રિજેશગીરીના પિતા નું તા ૨૯ ના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા ૨ ને ગુરુવારે સાંજે ૪થી૬ તેમજ તેમનું શક્તિ પૂજન તા ૬ ને સોમવારે તેમના નિવાસસ્થાન નીલકંઠ સોસાયટી ગુ.હા.બોર્ડ પાછળ મોરબી-૨ ખાતે રાખેલ છે.
સદગત હિતેષગીરી નું હાર્ટએટેક થી દુઃખદ અવસાન થયું છે.જેને મોરબી ભગવા ગ્રુપ,મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી મંડળ,મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ની ટીમે દુઃખ વ્યક્ત કરી મૃતક ના દિવ્ય આત્મા ને ભગવાન ભોળાનાથ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી.
