
*વિધાનસભામાં શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં સુવિધા બાબતે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાનો પ્રશ્ન….*
સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની ચિંતા કરતા મોરબી ધારાસભ્યશ્રીએ ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
પ્રશ્ન નં.1052 ના પ્રશ્નના જવાબમાં માનનીય પ્રવાસન મંત્રીએ જણાવેલ કે તા.31-12-2022 ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે *રૂ. 801.11 લાખના ખર્ચે*
– સત્સંગ હોલ
– ભોજનાલય
– રસોઈ ઘર
– કમ્પાઉન્ડ વોલ
– સિક્યુરિટી કેબિન
– મેઈન ગેઇટ
– લેન્ડરસ્કેપિંગ
– ટોઇલેટ બ્લોક
તમામ સુવિધાઓ ઉભી કરવા કામગીરી હાથ ધરાયેલ છે.
આ વિગત જાણી વિસ્તારમાં આનંદ ફેલાયેલ છે.

