
🙏🏼જય શ્રી દરીયાલાલ દાદા 🙏🏼
આજરોજ વૈશાખ સુદ બીજ ની શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી હાજર ધર્મ પ્રેમી ભાઈ-બહેનોનુ પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ યજમાન પરિવાર વતી વડીલ શ્રી લાભુભાઈ પુજારા નું તથા વસંતબેન કનૈયાલાલ પુજારા દાતા પરિવાર નુ ફુલહાર તથા દાદા ની પ્રતિકૃતિથી સન્માન કરવામાં આવેલ લોહાણા મહાજન માજી પ્રમુખ શ્રી હસુભાઈ ચંદારાણા નું સમિતિ તરફથી સન્માન કરવામાં આવેલ તમામ ભક્તજનોએ દાદાની આરતી થાળ અને મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજન મંત્રી જીતુભાઈ કોટક શ્રી મહેશભાઈ પુજારા શ્રી શરદભાઈ પુજારા દ્વારા કરવામાં આવેલ




