
અમદાવાદના જાણીતા લેખક,સાહિત્યકાર,પત્રકાર રમેશભાઈ તન્નાનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન
અમદાવાદના મોટા ગજાના પત્રકાર,લેખક તેમજ સાહિત્યકાર રમેશભાઈ તન્ના ડીસા જલારામ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા.તેમનાં ધર્મપત્ની અનીતાબેન પણ ખૂબ સારાં લેખિકા તેમજ પત્રકાર છે તેઓ પણ તેમની સાથે જ હતાં.
ડીસા જલારામ મંદિરે દર્શન કર્યા બાદ રમેશભાઈ તન્ના તેમજ અનીતાબેન તન્નાનું ફૂલછડીથી સન્માન કરી તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રેરણાદાયી અવસરે જલારામ સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠક્કર,આર.સી.પૂજારા,કેશવલાલ ચાવડા,દીલીપભાઈ બારોટ,મણીભાઈ પટેલ-શેઠ,રાજુભાઈ એ.ઠક્કર,ઈશ્ર્વરભાઈ ઠકકર,શંકરભાઈ ઠકકર સહિત સૌએ ઉપસ્થિત રહી બેઉ જણનું સન્માન કરી જલારામ મંદિર ડીસાની માનવતાવાદી પ્રવૃતિઓનો વિશેષ ખ્યાલ આપ્યો હતો.રમેશભાઈ તન્નાએ સમાજ દર્શન કરાવતાં તેમનાં દસ પુસ્તકો જલારામ ભકતોના વાંચન માટે ભેટ આપી રાજીપો વ્યક્ત કર્યો હતો.
