
રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની વૈદેહી ઠકકર
ધોરણ-12 નું પરિણામ જાહેર થતાં અનેક તેજસ્વી,ઓજસ્વી તેમજ મહેનતુ વિધાર્થીઓએ સારા ગુણાંક મેળવી આગવી સિધ્ધિ હાંસલ કરેલ છે.પાટણના જયકૃષ્ણ મણીભાઈ ઠકકર તેમજ શ્રીમતી નીલમબેનની લાડકવાયી દીકરી ચિરંજીવી વૈદેહીએ પણ ધોરણ-12 માં 90% તેમજ 99.56 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી પાટણ શહેર તેમજ સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો કરેલ છે.લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનલ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,પાટણ રીજીઓનલ ચેરમેન ધનરાજભાઈ ઠકકર તેમજ લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠક્કરે વૈદેહી ઠકકરને ઝળહળતી સફળતા બદલ અભિનંદન આપી અનહદ રાજીપો વ્યક્ત કરેલ છે.

