
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા અગ્રણીઓ, જાણો કોણે કોણે કોંગ્રેસને અલવિદા કહ્યું
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં છે. જીતના દાવા થઈ રહ્યા છે. ત્યારે જ જામનગર જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કોંગી આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે. જેને લઈ રાજકીય ખળભળાટ મચી ગયો છે.
જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઈ આહીર, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમત ખવા, જામનગર તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણભાઇ શિયાળ, જામનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઈ કાલાવડીયા, જામનગર ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ ધના મકવાણા, વરણા ગામના ઉપસરપંચ જગદીશભાઈ ચાંગણી, જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શનિ આચાર્ય, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગિરથભાઈ ગોહિલ, જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુભાઇ ડાંગર સહિતના જિલ્લાન પ્રથમ હરોળના નેતાઓએ રાજીનામુ ધરી દીધું છે ત્યારે કોંગ્રેસની હાલત કફોડી થઈ ગઈ છે…..
શરદ એમ.રાવલ..હડિયાણા..
