
મોરબીમાં સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા ભાગવત કથાનો પ્રારંભ
મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત ગુરૂઋણમુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧/૬ થી ૭/૬ ૨ાત્રે ૯ થી ૧૧.૩૦ સનસીટી ગ્રાઉન્ડ રવાપર ધુનડા રોડ પર કરાયું છે. કથાનું રસપાન શાસ્ત્રી જગતપ્રસાદજી સ્વામી કરાવી રહ્યાં છે. કથાના પ્રારંભ પૂર્વે આજે બપોરે ૩ વાગ્યે સંસ્કાર ધામ મંદિરથી મહંત સદગુરૂ પ્રેમ પ્રકાશ સ્વામીની ઉપસ્થિતિમાં બગીઓમાં સંતો મહંતોની સવારી સાથે શહેરના રાજમાર્ગો પર ધામધુમથી વિશાળ સંખ્યામાં બહેનોની પોથી લઈ શહેરના માર્ગો પર આ પોથીયાત્રા નીકળી હતી. જેનો શહેર વિવિધ વિસ્તારમાં ઉમળકાભેર આવકાર સાથે સ્વાગત કરાયું હતું. પોથીયાત્રા કથા સ્થળે સંપન્ન થઈ હતી. મહાપ્રસાદ સહિત કાર્યક્રમ યોજાયા હતા અને કથાનો પ્રારંભ થયો હતો.




