
મોરબીમાં ધો.8 થી 12 ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે સેલ્ફડિફેન્સ કાર્યક્રમ
નવયુગ સંકુલ–વિ૨૫૨(મો૨બી)માં શ્રી ગઢવી સાહેબ ન્યાયધીશ (જજ સાહેબ) લિગલ સેક્રેટ૨ી ડિસ્ટ્રીકટ લિગલ ઓથોરીટી-મો૨બી, દ્વા૨ા વિશ્વન્યાય દિવસ નિમિત્તે ધો.8 થી 12 ની વિધાર્થીનીઓને આત્મ૨ક્ષણ કેવી૨ીતે કરવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ તેમની સાથે પધારેલ શ્રી સુરેશભાઈ રાયકા (પી.એમ.વી.) કાનુની માર્ગદર્શક—મો૨બી. શ્રી નિશીતભાઈ પી. ધેટીયા (જુનીય૨ એડવોકેટ) જેઓએ આત્મ૨ક્ષ માટેની વિશેષ સમજ આપેલ.
આ તકે મનીષભાઈ અગ્રાવત (ડાયનેમીક ક૨ાટે) દ્વારા વિધાર્થીનીઓને આત્મરક્ષણ અનુસંધાને પ્રેકટીકલ નોલેજ પુરું પાડેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયાસ૨ દ્વા૨ા પ્રે૨ણા પુરી પાડેલ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બી.એસ. સરસાવાડીયા તેમજ પ્રિન્સિપાલ વાય.કે.રાવલ, વી. એન. વ૨મો૨ાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ.




