
મોરબી તા ૩ તાજેતરમાં જ આહીર સેના ગુજરાત દ્વારા સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ શહેરોમાં અલગ અલગ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ જેમાં મોરબી શહેર પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી દ્વારકેશ કુંભરવાડીયા ના નામ પર મહોર લગાવી હતી જેને સમાજના દરેક આગેવાનો અને કાર્યકર્તાઓ એ આવકાર દાયક ગણાવી હતી
આ તકે કુંભારવાડીયા એ આહિર સેનાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને સોપાયેલ જવાબદારી નિષ્ઠા વફાદારી અને “તન મન ધન” થી નિભાવીશ તેમ જ સમાજે મારા પર જે વિશ્વાસ મૂકીને મને સત્કાર્યમાં સહભાગી થવાની તક આપી છે તે બદલ હું મારી જાતને ધન્યતા અનુભવ છું અને સમાજના દરેક આગેવાનોનો અને હોદ્દેદારોનો અંત:કર્ણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું

