
સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં નાની વાવડી ગામે પૂજ્યશ્રી મોરારી બાપૂએ મહાશ્રમ દાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબીમાં નાની વાવડી ગામે પૂજ્યશ્રી મોરારી બાપુ પણ સરકારશ્રીના મહાશ્રમ દાન કાર્યક્રમમાં જોડાયા હતા અને જાતે સાવરણી લઈ સાફ સફાઈ કરી અન્યને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
આ મહાશ્રમદાન કાર્યક્રમાં મોરારી બાપુ સાથે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યશ્રી દુર્લભજી ભાઈ દેથરીયા સહિતનાઓએ સહભાગી બની ગામમાં સાફ સફાઈ કરી હતી.

