
*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ માં મોરબી જીલ્લા ના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.*
મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ શ્રી નેવિલભાઈ પંડિત તથા ઉપાધ્યક્ષ શ્રી લખનભાઈ કક્કડ, મહામંત્રી શ્રી શ્યામભાઈ ચૌહાણ ની યાદી જણાવે છે કે આગામી તા.૧૩-૫ થી ૧૮-૫ દરમિયાન મુ.ટાટમ, તા.ગઢડા, જી.બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ નુ આયોજન કરવામાં આવેલ છે જેમાં કરાટે, રાયફલ શુટીંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તથા બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે, તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્ર ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ વર્ગ માં મોરબી જીલ્લા માંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત- મો. ૯૪૨૯૪૭૧૭૦૧, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ-મો.૮૯૦૫૧૨૩૪૫૧ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી ના શહેર નાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી-મો. ૮૭૫૮૧૨૦૪૩૫, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ-મો. ૯૫૭૪૦૮૩૧૧૧ પર સંપર્ક કરવો. મોરબી જીલ્લા માંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવા માં આવશે. વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તથા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત નો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૬ થી ૮ માં સંપર્ક કરવો.
લી.
નિર્મિત કક્કડ
મંત્રી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
મોરબી.
