જોડિયા તાલુકાના જશાપર ગામના વયો વૃધ્ધ ઉજીબેન વિરજીભાઈ પનારા(70) કે જેઓ પોતે પોતાના પરિવાર માં સુખી જીવનમાં રહે છે.. પણ માજીની એક ઉમદા પ્રકારની સેવા કીય પ્રવૃત્તિ એવી કરે છે. કે તેમનો પરિવાર પણ અચરજ પામી જાય તેવું કાર્ય કરે છે. જશાપર ગામમાં પનારા પરિવારના સુરાપુરા રાજા બાપા નું મંદીર આવેલું છે. આ મંદિરમાં બહાર ગામ રહેતા પરિવારના કુટુંબીજનો પોતાના સુરાપુરા બાપા ના નિવેદ કરવા આવે છે. તેમાં જે વાસણ નો ઉપયોગ કરવામાં આવે છે. તે વાસણો અને મંદિર ની સાફ સફાઈ નું અવિરત કામકાજ હાલમાં પણ કરે છે. તો આવી નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર માજીનું પરિવારના એક સેવાની ભાવના વાળા તેજ ગામના અને તેજ પરિવારના શ્રી ગિરધરભાઈ (બાપા)એચ.પનારા કે જેઓ હાલમાં જાંબુડા પાટિયા પાસે આવેલ શ્રી ઉમા વિદ્યા સ્કૂલ ના કેમ્પસ ડાયરેક્ટર અને ટ્રસ્ટી છે. તેઓએ માજીનું સમગ્ર ગામ વતી સારી સેવા આપે છે. તે બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા…
શરદ એમ.રાવલ…હડિયાણા..
