
મોરબીના આમરણ મુકામે સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે
સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યા આમરણ ધામમાં મહંત શ્રી ગુલાબ દાસ ના સાનિધ્યમાં તારીખ10.7.25 ના ગુરુવારે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે જેમાં મંગળા આરતી. ગુરુ પૂજન.સંધ્યા આરતી. ભોજન પ્રસાદ. તેમજ ભજન સત્સંગ સંતવાણી નું આયોજન કરેલ છે
જેમાં સંતવાણી ના કલાકાર થાનનું થનગનાટ ભજન સમ્રાટ શૈલેષભાઈ પારધી તેમજ તેમનું ગ્રુપ રાત્રે 10:00 કલાકે ભજનોની રમઝટ બોલાવશે તો આ ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે ભક્તજનો ને આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા આમરણ ભીમ સાહેબ ની જગ્યા ના મહંત ગુલાબ દાસ બાપુ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમ આમરણ મુકામે ભીમ સાહેબ ની જગ્યા માં આમરણ ખાતે યોજવામાં આવેલ છે
રિપોર્ટર. લલીતભાઈ નિમાવત બાલંભા

