
ધ્રોલમાં આંગણવાડી વર્કર પડતર માંગણીઓને લઈને કામગીરીથી અળગા(*લલિત નિમાવત દ્વારા*)
ધ્રોલ:તા૧૧ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રોલ- જોડિયા તાલુકાની પણ 300થી વધુ આંગણવાડી વર્કર પડતર માંગણીઓને લઈને કામગીરીથી અળગા રહ્યા હતા. આંગણવાડી બહેનોએ ધ્રોલના રામ રોટી બાપુના આશ્રમ પાસે બેસી પડતર માંગણી બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 2018 પછી વેતન વધારો ન થવો, પોષણ ટ્રેકરના નામે માનસિક ત્રાસ, અને વધારાની સરકારી કામગીરી ન કરાવવા બાબતને લઈને હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું.
