
મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર-2 માં રહેતા ચેલ્સીબેન સંજયભાઈ રાજપરા તથા તેનો પરિવાર તેમજ આજુબાજુના રહેવાસીઓ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દરરોજ સાંજે પોતાના આંગણે, ગેલેરીમાં ઊભા રહીને આઠ દિવસ આરતી કરી અને રામનવમી નિમિત્તે સાંજે 7:15 કલાકે સૌ પોતપોતાના ઘરે આંગણામાં, ગેલેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રહીને રામલલ્લાની મહાઆરતી કરી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.
