
મોરબી: તા ૨૬ આજરોજ કારગીલ વિજય દિવસ
નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા રામેશ્વર પાર્ટી
પ્લોટ ખાતેકાર્યક્રમનું આયોજન ક૨વામાં આવ્યું હતું.
જેમા કારગિલ યુદ્ધમાં ફરજ બજાવનારા સૈનિકોનું સન્માન
કરાયું હતું. તેમજ કારગિલ યુદ્ધ અને દેશભક્તિનેલગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આક્ષણે શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના
સભ્યોને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કરવામાંઆવ્યો હતો. તેમજ કારગિલ યુદ્ધમાં કઈ રીતે વિજયથયો તે અંગેની માહિતી આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતીભાઈ પટેલ તેમજ મોરબી જિલ્લાના પાંચ આગેવાનો, હોદ્દેદારો ઉપરાંત કારગિલ યુદ્ધમાં સેવા આપનારા જવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


