• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બહુચરધામ-ખાખરાળા ખાતે મહાઆરતી મહાપૂજા મહોત્સવ ઉજવાયો*

*બહુચરધામ-ખાખરાળા ખાતે મહાઆરતી મહાપૂજા મહોત્સવ ઉજવાયો.*
મોરબી:તા ૨૯ મોરબી તાલુકાના ખાખરાળા ગામે બહુચરધામમાં કાંજીયા પરિવારના કુળદેવીનો મહાઆરતી – મહાપૂજા અને ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો.
ખાખરાળા ગામે કાંજીયા પરિવારના કુળદેવીના નવા શિખરબંધ મંદિરમાં તા.18/01/2023ના રોજ ટંકારાના મોટા ખીજડિયા ગામેથી શ્રીબહુચરાજી માતાનું સ્થળાંતર-સ્થાપન થયું.
આ મંદિરમાં શંખલપુર બહુચરાજી મંદિરમાં બિરાજેલા કુળદેવી સાક્ષાત્ દૃશ્યમાન થાય છે. સાથે મેલડી માતા અને શૂરાપુરાદાદાનું સ્થાપન છે.
દર માસની શુક્લ અષ્ટમીએ માતાજીના વસ્ત્ર-શૃંગાર બદલાય છે. ધ્વજારોહણ થાય છે. પોષ શુક્લ અષ્ટમીએ પાટોત્સવ યોજાય છે.
દર વર્ષે બંને નવરાત્રીમાં કાંજીયા પરિવારના 101 કુટુંબો મળીને માતાજીની મહાઆરતી, મહાપૂજા અને ગરબાનો મહોત્સવ યોજે છે. મહાપ્રસાદ સાથેના આ કાર્યક્રમમાં સમગ્ર પરિવારના નાનાંમોટાં તમામ ભાઈ-બહેનો ખૂબ જ ભાવ અને ઉત્સાહથી ગરબે રમે છે.
માતાજીનું આ મંદિર નવલખી રોડ પર ખાખરાળા ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે.
કાર્યક્રમનું આયોજન દર વર્ષે નવયુગ ગ્રુપના સંસ્થાપક પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ બહુચરધામ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે.

Related posts

*HELLO MORBI:મોરબી શહેર ને નર્કાગાર માં ફેરવનાર નગરપાલિકા ક્યારે ગંદગી દૂર કરી કમર તોડ રસ્તા ઓ થી પ્રજા ને મુક્તિ આપશે.કોગ્રેસ*

editor

*HELLO MORBI NEWS: જામનગર એસટી વિભાગના કર્મચારી દ્વારા સન્માન સ્વાગત કાર્યક્રમ યોજાયો*

editor

*સમાચાર સંખ્યા* : *૫૪૪* *શિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની* *બદલીના નિયમો બાબતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનો ઐતિહાસિક નિર્ણય*

Hello Morbi

Leave a Comment