
વાંકાનેર:તા ૧૬ વાંકાનેર નદી પર પુલનો ૮ વર્ષ પહેલાનો અધુરો પડતર પ્રશ્ર્ન જે વાંકાનેર નગરપાલીકા વહિવટદાર સમયમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ તેમજ શહેર ભાજપ સંગઠન દ્રારા અગાઉ રજુઆત કરવામાં આવેલ હતી. ઘણા લાંબા સમય બાદ આ પુલ અંગે કોઈ પણ કાર્યવાહી ન થતા વાંકાનેર રાજવી અને હાલના રાજયસભા સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ દ્રારા શહેરી વિકાસ વિભાગમાં રજુઆત કરેલ જે રજુઆત ને ધ્યાને લઈને આજ રોજ મચ્છુ નદીના પુલની મ્યુનિસિપલ કમિશ્ર્નર શ્રી જાની સાહેબ શ્રી દ્રારા રૂબરૂ મુલાકાત લિધેલ આ તકે વાંકાનેર મહારાણા રાજ્યસભા સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ શહેર ભાજપ સંગઠનના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહેલ. આ પૂલ વહેલી તકે બનાવવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશ્ર્નર શ્રી જાની સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ખુશીનાં સમાચાર મળતા વાંકાનેર શહેરમાં ખુશીની લાગણી પ્રસરી હતી.






