
મોરબી:તા ૪ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી ના એકોર્ડ સિરામિક મા મેગા મહા રક્તદાન કેમ્પ યોજાયો
રકતદાતા ઓ મન મુકી વરસી પડ્યા
310 બોટલ રક્ત થયુ
મોરબી ના ઉચીમાંડલ ગામ પાસે આવેલ એકોર્ડ વિટ્રીફાઈડ સિરામિક ખાતે મહા રક્તદાન કેમ્પ નુ આયોજન કરાયુ હતુ જેમા એ
કોર્ડ પરિવાર .ઉધોગકારો સરડવા પરિવાર એકોર્ડ સિરામિક સ્ટાફ સહિત રક્તદાન કરવા મન મુકી સેવાનાભાવ થી વરસી પડીયા હતા સવારે 10 થી સાંજે 4 સુધી મા કુલ .310 બોટલ રક્તદાન થયુ હતુ જે એક ઐતિહાસિક આકડો નોંધાયો હતો. આ રક્તદાન કેમ્પ .
એકોર્ડ સિરામિક ના માલિક નરભેરામભાઈ પટેલ ને તેના પરિવાર દ્વારા કેમ્પ નુ આયોજન કરાયુ હતુ આ કેમ્પ મા મણિલાલ સરડવા એ 51 મી વખત રક્તદાન કર્યું હતુ આ કેમ્પ મા એકત્ર થયેલ રક્તદાન .મોરબી સિવિલ હોસ્પિટલ ને 154 બોટલ.અમદાવાદ ની સંસ્થા સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ 156 બોટલ દાન મા આપવામા આવ્યુ હતુ એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક ના માલિક નરભેરામભાઈ પટેલ ( પૂર્વ પ્રમુખ સિરામિક એસોસિએશન) તથા તેમના નાના પુત્ર સાગરભાઈ પટેલ અને તેમના ભાઈ અમિતભાઈ , જયભાઈ, વૈભવભાઈ,વિરલભાઈ, નીરવભાઈ,હર્ષભાઈ તથા તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિક ની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી માનવતા માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. તેમના આ સેવાકાર્ય ને મોરબી સિરામિક્ પરિવાર તથા તરફથી બિરદાવવામાં આવ્યા હતા.મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 310 બોટલ રક્તદાન કરાવી પરિવારે સેવાકાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.



