
મોરબીમાં સેવાભાવી અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પક્ષી કુંડાનું વિતરણ
મોરબી:તા ૨૦ મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા માટે 21/03/2026 ને શનિવારે સવારે 9 વાગ્યાથી સુપર માર્કેટ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક પાણીના કુંડાની વિતરણ કરાશે. તો મોરબીના લોકોને આ સેવાનો લાભ લેવા અને જીવદયાના કાર્યમાં સહભાગી થવા આયોજક અજય લોરીયા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
