
મોરબી:તા ૨૦ *(પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*) આજરોજ મોરબી ડેપો ખાતે મોરબી પુનાવાડા નવીન ગુર્જર નગરી બસ પ્રજાની સુખાકારીમાં ઉમેરવામાં આવેલ જેમાં મોરબી શહેર ભાજપના શ્રી ભાવેશભાઈ કણજારીયા મહામંત્રી બીજેપી, ભુપતભાઈ જારીયા મહામંત્રી મોરબી બીજેપી, જયદીપભાઇ દેત્રોજા રાજકીય અગ્રણી,અનિલભાઈ વરમોરા ભાજપ અગ્રણી, કેતનભાઇ વિલપરા પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કેયુરભાઈ પંડ્યા ઉપપ્રમુખ મોરબી બીજેપી, રોહિતભાઈ કણજારીયા પૂર્વ કાઉન્સિલર શ્રી તેમજ મોરબી ડેપો મેનેજર શ્રી કુંપાવત તેમજ મોરબી એસ.ટી સ્ટાફની હાજરીમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ. સદર બસ મોરબી થી સવારે સાત વાગે વાયા અમદાવાદ , બાલાસિનોર પૂનાવાડા જશે,ત્યાંથી બીજે દિવસે સવારે 8:30 એ ઉપડી મોરબી ખાતે પરત આવશે.
