
મોરબી:તા ૨૧ અધ્યયન મંડળ મોરબી દ્વારા
આવતા ગુરુવારે વૈશાખ સુદ ૦૭ , દિનાંક ૧૩/૦૪/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય , રવાપર રોડ , આઈ.એમ.એ. હોલની સામે. બાપા સીતારામ ચોક નજીક સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં મોરબીના ભાવેશભાઈ હડિયલ( યોગ ટ્રેનર) જેઓ ઉપનિષદ સારાંશ વિષય પર વ્યાખ્યાન આપશે.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.
અધ્યયન મંડળ મોરબી
સંયોજક -ડો જયેશ પનારા
સહસંયોજક
વિજયભાઈ રાવલ કમલેશભાઈ અંબાસણા
ભાવેશભાઈ હડિયલ
