• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત ૧૨૩ દિવંગતો ના અસ્થિઓ નુ વિસર્જન કરવા સોમનાથ જવા રવાના*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.

 

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી તા.૨૬-૫ ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૩-૫-૨૦૨૧ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૨૨-૫-૨૦૨૧ ના રોજ મોરબી ના તમામ સ્મશાને થી કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત કુલ ૧૨૩ દીવંગતો ના અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવા મા આવ્યા જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા.

આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, હરીશભાઈ રાજા, સી.પી. પોપટ, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, જીતુભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, હર્ષિત કંસારા, નિર્મિત કક્કડ, જયેશભાઈ કંસારા, હરકાંતભાઈ વ્યાસ, અનિલભાઈ સોમૈયા, અમિત પોપટ(પોપટ પાન), જયદીપ પોપટ, કૌશલ જાની, નવીનભાઈ જૈન, નંદલાલ રાઠોડ, ચિરાગ વોરા,દીનેશ સોલંકી સહીત ના જોડાયા છે..

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*મોરબી નગરપાલિકા ના વાહનો નો ખુલ્લેઆમ ભારતીય જનતા પક્ષના ઝંડા મારવા પાલિકાના વાહનનો થતો ગેરઉપયોગ કલેકટર યોગ્ય પગલા લેવા જોઇએ મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલના હજામચોરા ગામના વતની નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું અવસાન : સમગ્ર પંથકમાં શોકની લાગણી*

editor

*મોરબી જિલ્લા ભાજપમાં કિશાન અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક*

Hello Morbi

Leave a Comment