
અસામાજીક તત્વોને કાયદાનું પાલન કરવા સારૂ સુચન કરતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ કચ્છ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર પટેલ સાહેબ મોરબી જીલ્લા મોરબી નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.આલ સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓએ કાયદો અને વ્યવસ્થાનુ ઉલ્લંઘન કરતા અસામાજીક તત્વોને કાયદાની સમજ કરવા તેમજ તેઓના વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા કડક સુચના અને માર્ગદર્શન કરેલ હોય.
જે અનુસંધાને અમો જે.ડી.સરવૈયા પોલીસ ઇન્સ્પેકટર નાઓએ મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. વિસ્તારમા રહેતા અવાર નવાર શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા તેમજ પ્રોહિબીશન પ્રવૃતીમાં સંકડાયેલ અસામાજીક તત્વોને બોલાવી તેઓ વિરૂધ્ધમા નોધાયેલ ગુન્હાઓની માહિતીનો અભ્યાસ કરીને તેઓને “કાયદામા રહેશો તો ફાયદામા રહેશો” તેવુ સુત્ર આપીને આમ નાગરીકોની જેમ જીવન જીવવા સારૂ પ્રેરણા આપેલ.
