• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*આજે પીએમ મોદી કરશે સંસદના નવા ભવનનો શિલાન્યાસ, આ કારણે શરૂ નહીં થઈ શકે નિર્માણ*

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના નવા ભવનના શિલાન્યાસ કરશે. આશરે 80 વર્ષ બાદ દેશમાં સંસદની નવી ઇમારતનું નિર્માણ થશે. પરંતુ ભૂમિ પૂજન અને શિલાન્યાસ બાદ પણ ઇમારતનું નિર્માણ કાર્ય શરૂ નહીં થઈ શકે. સુપ્રીમ કોર્ટે નવા સંસદ ભવન સહિત મહત્વની સરકારી ઇમારતોવાળા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઇપણ પ્રકારના નિર્માણ પર હાલ રોક લગાવી રાખી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે ત્યાં સુધી કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ  કોર્ટે શિલાન્યાસ પર પ્રતિબંધ લગાવ્યો નથી.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ થોડા દિવસ પહેલા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે 1 વાગ્યે દિલ્હીમાં સંસદ ભવનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. બિરલાએ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવા પર અમે નવા સંસદભવનમાં બંને ગૃહોનાં સત્રની શરૂઆત કરીશું. સંસદનું નવુ ભવન 64,500 વર્ગમીટર ક્ષેત્રમાં હશે અને તેના નિર્માણ પર કુલ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અનુમાન છે.

નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ સીટો હશે. પાર્લમેન્ટ હોલમાં 1224 સભ્ય એકસાથે બેસી શકશે.  સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ સુવિધાઓ હશે.

 

Related posts

*HELLO MORBI:મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા ત્થા અન્ય મુદ્દામાલની ઘરફોડ ચોરી નો ગણત્રી ના કલાકો માજ પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત ગેસ લિમિટેડ સાથે યોજાયેલ મહત્વપૂર્ણ મીટિંગ અંગે આભાર વ્યક્ત કરતા સિરામિક ઉધોગકારો*

editor

*મોરબી બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે*

Hello Morbi

Leave a Comment