• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

Farmers Protest: ખેડૂત આંદોલનના સમર્થનમાં કાલે એક દિવસ ઉપવાસ કરશે અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ખેડૂતોના સમર્થનમાં કાલે એક દિવસનો ઉપવાસ કરશે. આ સાથે જ તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ ઉપવાસ કરવાની અપીલ કરી છે. કાલે આંદોલનમાં સામેલ તમામ ખેડૂત સંગઠનોના નેતાઓ ઉપવાસ કરશે. દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18માં દિવસ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, સમર્થકો અને જનતાને અપીલ કરુ છું કે તેઓ ખેડૂતોના સમર્થનમાં કાલે એક દિવસના ઉપવાસ કરે. હું કાલે ઉપવાસ કરીશ.’

આ સાથે જ તેમણે કહ્યું, કેટલાક કેંદ્ર સરકારના મંત્રી અને ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ખેડૂતો રાષ્ટ્ર-વિરોધી છે. ઘણા પૂર્વ સૈનિક, રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, ગાયક, જાણીતી હસ્તીઓ, વેપારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. ભાજપને પૂછવા માંગીએ છીએ કે શું આ તમામ લોકો પણ દેશદ્રોહી છે ?

અરવિંદ કેજરીવાલે કહ્યું, કૃષિ કાયદાની વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની તમામ માંગોને કેંદ્રએ તુરંત સ્વીકાર કરવો જોઈએ અને એમએસપીની ગેરંટી માટે બીલ લાવવું જોઈએ. કેંદ્રએ અહંકાર છોડી દેવો જોઈએ અને ખેડૂતો જે ત્રણ કૃષિ બિલનો વિરોધ કરે છે તેને રદ્દ કરવા જોઈએ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. સંજય જોશી (𝐈𝐀𝐒)ની નિમણૂંક*

editor

*મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહીદે ઈમામે હસન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ યોજાયો*

Hello Morbi

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે મોરબી ની પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા મોરબી કોગ્રેસ દ્વારા બાઈક રેલી*

Hello Morbi

Leave a Comment