2016માં ઝડપાયા બાદ ધ્રાંગધ્રા સબ જેલમાં બંધ હતો
મોરબી : હળવદ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 2014માં હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીને હળવદ પોલીસે ઝડપી જે તે વખતે ધ્રાંગધ્રા સબ જેલ હવાલે કરવામાં આવ્યો હતો 2016માં જામીન પર છૂટ્યા બાદ મુદત પૂરી થયે હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો.આ અંગે સેસન્સ કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરાયું હતું. જે બાદ મોરબી એલસીબી પી.આઈ. વી.બી જાડેજા,પીએસઆઇ નિખિલ ડાભી અને સ્ટાફના ચંદુભાઇ કણોતરા, દશરથસિંહ પરમાર, નીરવ મકવાણા, ભરત જીલરિયા, રસિકભાઈ ચાવડા, વિક્રમ સિંહ બોરાણા, ચન્દ્રકાન્ત વામજા, જ્યવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,જયેશભાઇ વાઘેલા,બ્રિજેશભાઈ કાસુંદરા અને હરેશભાઇ સરવૈયા સહિતનાએ અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી 2016થી નાસતા ફરતા આરોપી રાજેશ મનજી ભોરણીયાને અમદાવાદના દેત્રોજ નજીકથી ઝડપી લીધો હતો અને હળવદ પોલીસ હવાલે કર્યો હતો આરોપી રાજેશ વિરુદ્ધ ગુન્હો નોંધી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
