

મોરબી મહેન્દ્રનગર મુકામે રામધન આશ્રમ ખાતે બાળવિદુષી રતનબેન ના વ્યાસાસને કથા નુ અનેરુ આયોજન કરવા મા આવ્યુ છે. ત્યારે દરેક શ્રોતાઓ માટે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રસાદ ની વ્યવસ્થા યોજવા મા આવી હતી. પૂ.ભાવેશ્વરી બેન સહીત ના સંતો-મહંતો ના મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, કીર્તિભાઈ પાવાગઢી, કીશોરભાઈ ઘેલાણી, બકુલભાઈ રાચ્છ, જગદીશભાઈ કોટક, હસુભાઈ પંડીત, કમલેશભાઈ ભોજાણી તેમજ જલારમ મંદિર મહીલા મંડળ ના અગ્રણીઓ એ આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

