ટંકારા : હાલમાં લોકો દ્વારા કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ મેળવવા માટે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઇ ગામના સેવાભાવી રાજુભાઈ રૈયાણી, કિશનભાઇ પાણ, પ્રકાશભાઈ રાજપરા, દિવાનભાઈ વ્યાસએ જાતે આખા ગામમાં સેનીટાઇઝેશન કર્યું હતું. તેમજ લોકોને ઘરની આજુબાજુમાં ચોકસાઈ રાખવાનો સંદેશ પૂરો પાડયો હતો. આમ, સેવાભાવી ગ્રામજનોએ ગામની સેવા કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
