એસ્ટ્રોસીટી કેસમા કોર્ટે મેળામા રમકડાના વેપારીનો જામીન પર છુટકારો.
ટંકારા નજીક પાલણપીરના મેળામા રમકડાના ધંધાર્થી સાથે તકરારમા એસ્ટ્રોસીટીનો ગુનો નોંધાયો’તો.
ટંકારા નજીક પાલણપીરના મેળામા સ્ટોલમાથી રમકડુ બદલવા મામલે સ્ટોલધારક સામે એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ દાખલ થયેલા કેસમા જેલહવાલે થયેલા આરોપીએ ટંકારાના વકીલ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી રજુ કરવામા આવતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી વાંકાનેરના રમકડાના વેપારીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
ટંકારા તાલુકાના હડમતીયા ગામે ભાદરવા માસમા યોજાતા પાલણપીરના મેળામા વાંકાનેર પંથકના વિશાલ ભગવાનજી ભાઈ કોળીએ રમકડાનો સ્ટોલ કર્યોં હતો. સ્ટોલ માથી ગ્રાહકે ખરીદ કરેલ વસ્તુ ખરીદ કર્યા બાદ બદલી આપવા મુદ્દે માથાકુટ થયા બાદ ધંધાર્થી ઉપર એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ થતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન જામીન મુક્ત થવા આરોપી વિશાલે ટંકારા ના એડવોકેટ અતુલભાઈ ત્રિવેદી અને એડવોકેટ સિરાજ અ બ્રાણી મારફત સેસન્સ કોર્ટમા જામીન અરજી રજુ કરતા અદાલતે આરોપી તરફેના બંને વકીલોની સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા ટાંકી બચાવ પક્ષની ધારદાર દલીલોને કોર્ટે સ્વિકારી આરોપીને રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.*અહેવાલ ટંકારા નૈમિષ સજપાલ*
