
બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ તેમજ કાંકરેજના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલાએ થરા જલારામ મંદિરે પધારી દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર ભારત કોરોના મહામારીમાંથી મુકત થાય તેવી પણ પ્રાર્થના કરી હતી.આ અવસરે બેઉ મહાનુભાવો ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી ડાયાભાઈ પિલીયાતર સહિત સૌનું જલારામબાપાના ફોટા તેમજ ભકિતખેસથી સન્માન કરવામાં આવ્યું હતું.થરા જલારામ મંદિર દ્રારા ચાલતી ભોજનસેવા તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓથી માહિતગાર થઈ સૌ મહાનુભાવોએ અત્યંત રાજીપો વ્યકત કરી સૌ જલારામ સેવકોને શાબાશી આપી હતી.ગતવર્ષે લોકડાઉન દરમિયાન થરા જલારામ મંદિરે વંદનીય,અભિનંદનીય અને અનુમોદનીય ભોજનસેવા કરવામાં આવી હતી.મહાનુભાવોએ સમગ્ર જલારામ સેવા સંકુલ પણ નિહાળ્યું હતું.
આ મુલાકાત અવસરે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અચરતલાલ ઠકકર,જલારામ મંદિરના નિષ્ઠાવાન સેવકો વિજયભાઈ ટેસ્ટીવાળા,નિરેજનભાઈ એ.ઠકકર,ૠત્વિક ઠકકર તેમજ અગ્રણીઓ ભરતસિંહ વાઘેલા,ઝેણુભા વાઘેલા સહિત સૌ કોઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તમામ મહાનુભાવોએ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ જલારામ મંદિર થરા દ્રારા ચાલતી સતત સેવાકીય પ્રવૃતિઓથી સંતોષ અને આનંદની લાગણી વ્યકત કરી હતી.
