


*તંત્ર ની સુચના થી ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરતી મોરબી ની સંસ્થા*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તંત્ર ની સુચના થી સંભવિત વાવાઝોડા ને પગલે ન્યુ ટાટા નગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવા મા આવી હતી. આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, નંદલાલ રાઠોડ, કાળુભાઈ પટેલ (જેપુર), અમિત પોપટ, અનિલ પોપટ, દીનેશ સોલંકી સહીત ના આગેવાનો જોડાયા હતા. જ્યાં સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યાં સુધી તંત્ર ની સાથે રહી દરેક પરિસ્થિતી ને પહોંચી વળવા ભોજન તેમજ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવા મા આવશે તેમ સંસ્થા ના અગ્રણીઓ એ જણાવ્યુ છે.




લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
