કોરોના મહામારી અને હાલ કુદરતી આપત્તિજનક આવેલા
વાવાઝોડા માં સમગ્ર ગુજરાત ના સરકારી અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા રણવિસ્તાર દરિયાઈ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રજાહિત કાર્ય અંતર્ગત એલર્ટ છે ત્યારે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે મહિલા સરપંચ મુમતાજ બેન અને તેમના પતિ હુશેનભાઇ શેરશીયા સહીત સમગ્ર રાણેકપર ગામના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકર્તા ઓ એ માનવતાની મહેક આપી રાણેકપર ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા અંતર્ગત લોકોને હાલાકી ન પડે તે માટે ઘરે ઘરે સાવચેત સુરક્ષિત રહેવાની જાહેરાત સાથે નદી-નાળાઓ હોકળા ની આસપાસ પસાર થવા પર પ્રતિબંધ કરી વાવાઝોડા અંતર્ગત લોકોને હાલાકી જાનહાનિના થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સાથે સાથે સરકારી પ્રાથમિક શાળામાં વાડી ખેતર નદી-નાળા આસપાસ ન આ વિસ્તારમાંથી સ્થળાંતર લોકોને ભરપેટ ભોજન ની વ્યવસ્થા કરી નાના એવા રાણેકપર ગામમાં મોટી માનવતા ભેર કાર્ય જોવા મળ્યું હતું જે સમગ્ર તસવીર માટે પડે છે
તસ્વીર રિપોર્ટ:આરીફ દિવાન